પતિ સાધુ બન્યો હોવા છતાં ન થયા છૂટાછેડા, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પત્ની માટે સિંદૂરનો સહારો જરૂરી
થોડા સમય પહેલાં મધ્યપ્રદેશમાંથી એક ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની છેલ્લાં 18 વર્ષથી અલગ રહેતા હતા. 2008માં કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી કરી હતી. ફેમિલી કોર્ટે આ અરજીને નકારી દીધી હતી. આ બાદ આ મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં છૂટાછેડા ની અરજી મંજુર કરી દીધી હતી. પત્ની છૂટાછેડા લેવા ઇચ્છતી ન હતી, તેથી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. 18 ઓગસ્ટ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે પત્નીને પક્ષે ચુકાદો આપીને છૂટાછેડા રદ કર્યા હતા.
કેટલીકવાર મહિલાઓ માટે પરિણીત હોવું વધુ જ
રૂરી હોય છે. તે તેના પતિથી અલગ રહેતી હોવા છતાં પણ તેના નામનું સિંદૂર લગાવીને આખી જિંદગી પસાર કરી શકે છે. આ કિસ્સામાં મહિલા પોતે પરિણીત રહેવા ઈચ્છે છે. તેથી આ બે બાબતોને ધ્યાનમાં રાખીને દંપતીના છૂટાછેડા રદ કરવામાં આવે છે.
અગાઉ અનેકવાર એકતરફી છૂટાછેડા વિશે વાત કરી છે.
આજે આપણે વાત કરીશું છૂટાછેડાના એ પાસાઓ વિશે વાત કરીશું જ્યારે પતિનો પરિવાર
પ્રત્યેનો મોહભંગ થઈ ગયો હોય. પતિ-પત્ની પૈકી એક સાથે રહેવા માગે છે, પરંતુ બીજું સાથે રહેવા ઇચ્છતું
નથી.
જાણો સુપ્રીમ કોર્ટના એડવોકેટ પ્રશાંત કેંજલે, ઝાંસીના એડવોકેટ અજય કુમાર અને
દિલ્હીના એડવોકેટ અમિત મલિક આપશે આ તમામ સવાલના જવાબ...
આ બાબતે સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો હતો કે, જો પતિ સાધુ બની ગયો છે,
તો છૂટાછેડાથી કોઈ મતલબ નથી.
ભરણપોષણને આ રીતે સમજો
હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 24 મુજબ, જો પતિ કે પત્ની પાસે પોતાના જીવનનિર્વાહ માટે આવકનું કોઈ સાધન ન હોય તો
વચગાળાના ભરણપોષણ માટે પણ દાવો કરી શકે છે. વચગાળાના ભરણપોષણનો અર્થ એ છે કે,
જ્યાં સુધી છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યાં સુધી એક પક્ષ
બીજાને ખર્ચ માટે ભરણપોષણ આપશે.
ભરણપોષણ પત્ની અને બાળક બંનેને મળી શકે છે.
પરિસ્થિતિ અનુસાર, કોર્ટ
ભરણપોષણની રકમમાં વધારો-ઘટાડો કરી શકે છે.
8 વાતોના આધાર પર પતિ અથવા પત્ની
એકતરફી છૂટાછેડાની માગ કરી શકે છે.
- પતિ અથવા પત્ની એકબીજાનો
વિશ્વાસઘાત કરીને કોઈ ત્રીજા વ્યક્તિ સાથે સંબંધ રાખે.
- પતિ અથવા પત્ની પૈકી કોઈ એક
દ્વારા શારીરિક હિંસાનો દોષિત હોય.
- એકબીજા સાથે માનસિક હિંસા
કરવામાં આવી હોય.
- લગ્ન બાદ પતિ અથવા પત્ની 2 વર્ષથી વધુ
સમયથી સાથે ન રહેતા હોય.
- ધર્મપરિવર્તન માટે મજબૂર કરવામાં
આવે તો પણ છૂટાછેડા મળી શકે છે.
- જો બંનેમાંથી કોઈ એક સંન્યાસ લે
તો પણ છૂટાછેડા મળી શકે છે.
- કોઈ એક પાર્ટનર સાત વર્ષથી ગુમ
અને બીજા પાર્ટનરને આ અંગે કોઈ જાણકારી ન હોય ત્યારે.
- કોઈ ગંભીર બીમારી હોય તો તે કિસ્સામાં પણ છૂટાછેડા મળી શકે છે.

Comments